પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના | પ્રધાનમંત્રી લોન યોજના | એસ.બી.આઈ. મુદ્રા લોન યોજના | ૫૦,૦૦૦ ની લોન|
![પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj03QyZanRI49p7ylkgUy6TegWM_wWa2fxlBlxifxXRLPXhDzbKiDUu80HCH_zVST1T2LzYsbrXo-LW9KzhMQMTZDy2uEg3TsO4FcKbeoD_JT_HIOFvHdqi2HUFYI0fjJctbW3uC0XVj280zakf3m9Nxb4U3CqrE6Weq1ev7ihOABrxJ__dkNMYvab1/s16000/20220810_152435.webp)
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2022
અત્યારના સમયમાં જો તમે પોતાનો ખુદનો એટલે કે સ્વ-રોજગાર ધંધો કરવા માંગો છો અને તમારે તાત્કાલિક પૈસા ની જરૂર હોય તો તમારા માટે ખૂબજ સરસ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના બહાર પાડેલ છે. જો તમારી પાસે કે ઘરના કોઈ સદસ્ય પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં સેવિંગ એકાઉન્ટ કે કરન્ટ એકાઉન્ટ હોય તો તેવા લોકો આ લોન યોજનાનો લાભ લેવા પાત્ર છે. આ યોજના મુજબ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ૫૦, ૦૦૦ સુધીની ઈ-મુદ્રા લોન લઈ શકો છો.
આ યોજના મુજબ તમારે કોઈપણ બેંકના ધક્કા ખાવાની જરૂર નથી કેમકે આ યોજનાનો આવેદન તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. અત્યારના સમયમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તે પોતાના ગ્રાહકને કોઈપણ ડોક્યુમેન્ટ વગર ફક્ત ત્રણ થી ચાર મિનિટમાં ૫૦, ૦૦૦ રૂપિયા સુધીની ઇ મુદ્રા લોન આપી રહી છે. એસ બી આઇ ઈ મુદ્રા લોન વિશેની વધુ માહિતી આપણે નીચે મેળવીએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૮ એપ્રિલ ૨૦૧૫ ના રોજ એ મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી હતી જેના મુજબ બિન કોર્પોરેટ, બિન ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને દસ લાખ સુધીની લોન આપવા માટે આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ને મુદ્રા લોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ યોજનાનો લાભ તમને કઈ બેંકમાં મળશે તેના વિશે જાણીએ આ લોનમાં કોમર્શિયલ બેંકો આરબીઆઈ સ્મોલ ફાઇનાન્સ બેન્ક એમએફઆઇ અને nbfc નો સમાવેશ થાય છે. લોન લેવા માટે કોઈપણ વ્યક્તિ આ બેંકોનો સંપર્ક કરી શકે છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ને બે ભાગમાં વિભાજીત કરવામાં આવી છે જેમાંથી એક ૫૦, ૦૦૦ થી નીચેની લોન લેવા માટે અને બીજો ૫૦, ૦૦૦ થી ઉપરની લોન માટે ની લાયકાત નીચે દર્શાવેલી છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં ૫૦, ૦૦૦ રૂપિયા સુધીની લોન લેવા માટેની લાયકાત
• તમે આદિ પાસે sbi નો છ મહિના જૂનું ઓછામાં ઓછું બચત ખાતું કે જૂનું ચાલુ ખાતું હોવું જરૂરી છે.
• આ યોજનાની અધિકતમ સમય મર્યાદા પાંચ વર્ષની હોય છે
• આવેદન માટે તમારી ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોવી જરૂરી છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં ૫૦, ૦૦૦ રૂપિયા થી વધુ લોન લેવા માટેની લાયકાત
• જો તમારે ૫૦, ૦૦૦ થી વધુ રૂપિયાની લોન લેવા ઈછતાં હોવ કે જરૂર હોય તો વિવિઘ ડોક્યુમેન્ટ સાથે તમારે તમારી નજીકની એસબીઆઇની બેંક શાખામાં જવું પડશે.
• આ યોજના મુજબ નાના વેપારીઓને ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો (ડોક્યુમન્ટ્સ)
• તમારે બેન્કની બ્રાન્ચ ડીટેલ સાથે તમારા સેવિંગ એકાઉન્ટ ના નંબર આપવા જરૂરી છે
• તમારા ધંધા (કાર્ય) નું પ્રમાણપત્ર આપવું જરૂરી છે.
• તમારા જે તે બેંકના ખાતામાં તમારો આધાર કાર્ડ લિંક હોવો જોઈએ.
• જો તમે નીચી આરક્ષિત શ્રેણીમાંથી આવતા હોવ તો તમારે જાતિ પ્રમાણપત્ર આપવું જરૂરી છે (ઉદા. ઓબીસી, એસટી)
• તમારા જે તે વ્યવસાય ના ડોક્યુમેન્ટ તથા જીએસટીએન નંબર અને તમારે કોઈ બિઝનેસ હોય તો તેના રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ પણ બેંકને બતાવવા પડશે.
એસબીઆઇ એ મુદ્રા લોન માટે આવેદન કેવી રીતે કરવું
• સૌપ્રથમ sbi એ મુદ્રા લોનની સત્તાવાર વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
• હવે તમે sbi એ મુદ્રા હોમ પેજ ઉપર છો તેમાં દર્શાવ્યા મુજબ તમારા ચાલુ નંબર દાખલ કરો તેમાં દર્શાવેલો કેપચા એન્ટર કરો
• તમારા બચત ખાતા કે કરણ ખાતાના નંબર દાખલ કરો.
• હવે તમારે કેટલી લોન રકમ જોઈએ છે તે દાખલ કરો.
• અંતે બ્લુબટન કે જેમાં પ્રોસિડ લખેલ છે તેના પર ક્લિક કરો
• જો આ રીતે તમારે અરજી ના કરવી હોય તો તમે તો મારી નજીકની એસબીઆઇ શાખા ની મુલાકાત લઈ શકો છો.
Official Website | CLICK HERE |
Ulka News homepage | CLICK HERE |